દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, પક્ષથી છેડો ફાડવાનું જણાવ્યુ આ કારણ

દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, પક્ષથી છેડો ફાડવાનું જણાવ્યુ આ કારણ

ગુજરાત કોંગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે. ત્યારે ફરી એક કોંગ્રેસના ધારાસભ્યએ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસના તમામ હોદ્દોઓ તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં એક બાદ એક નેતાના રાજીનામાં રૂપી ઝટકા મળી રહ્યાં છે.

અર્જૂન મોઢવાડીયાનું રાજીનામુ આપવાના કારણો !

કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી
વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા
વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા
આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વએ પક્ષમાં નિષ્ક્રિયાતા અંગે કારણ પુછ્યું હતું
જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા
રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજરી હતી
શક્તિસિંહ ગોહિલ જૂના મિત્રો હોવા છતાં કેટલાંક મુદ્દે બંને વચ્ચે અસહમતી હતી
ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતા નારાજગી હતી

અર્જૂન મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

અંબરીશ ડેર પણ કેસરીયા કરશે
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે કોંગ્રેસના અંબરીશ ડેર પણ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *