એક કચરાના ઢગલામાંથી મળેલી દીકરી યુવાન થતા આજે આમ પિતાનું ઋણ ચૂકવી રહી છે, સ્ટોરી વાંચતા જ થઈ જશો ભાવુક
ભારતમાં એવું કહેવા આવે છે કે આ દેશ ખેડૂત અને જવાનોના ખભના બળ પર ટકેલો છે. એટલા માટે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ ”જય જવાન જય કિસાન”ના નારા પણ લગાવ્યાં હતાં. આજે અમે તમને એક આવા જ ખેડૂતની ગર્વ કરનારી કહાની જણાવીશું જે બે ટાણાંની રોટલી પણ નથી મેળવી શકતા, તેમણે આજે એવું કારનામું કરી દેખાડ્યું છે, જેને કરવું સૌ કોઈની વાત નથી હોતી. આવો આ ખેડૂતની કહીનાની હૃદય પૂર્વક જાણીએ..
આ ઘટના અસમની છે. અહીં સોબરના નામનો એક ખેડૂત રેકડી પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેમણે આ પોતાની દિકરીને ભણાવી-ગણાવીને લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરાવી છે. તેમની દિકરીને આ પરીક્ષામાં પાસ થઈને પોસ્ટિંગ પણ મળી ગઈ છે. સોબરનએ મીડિયાને જણાવ્યું કે જ્યારે તે 30 વર્ષના હતાં ત્યારથી તેમણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેમને એક કચરામાં બાળકીનો રડવાનો અવાજ સંભળ્યો હતો. આ અવાજને સાંભળીને સોબરને તેની નજીક પહોચ્યાં. જ્યાં તેમને ખબર પડી કે કચરામાં એક બાળકીને મુકી ગયું છે. આ બાળકીને સોબરને ઉઠાવીને ગળે લગાવી લીધી.
તે સમય સોબરનના લગ્ન પણ નહતાં થયાં. આ માટે તેમણે હંમેશા કુંવારો રહેવાનો નિર્ણય કર્યો. જે બાદ તેમણે યુવતીનું નામ જ્યોતિ રાખ્યું. તેને ભરણ-પોષણ કરીને મોટી કરી. જ્યોતિએ 2013માં કમ્પ્યૂર સાયન્સથી ગ્રેજ્યૂએશન કર્યું. જે બાદ જ્યોતિએ લોક સેવા આયોગની અઘરી પરીક્ષા પાસ કરી લીધી. 25 વર્ષની જ્યોતિએ આ સાબિત કરી આપ્યું કે કચરામાંથી ઉઠાવીને તેના પિતાએ કોઈ પણ ભૂલ નથી કરી. તેના પિતાએ જે કર્યું યોગ્ય કર્યું છે.
જ્યારે જ્યોતિના પિતા સોબરનનું કહેવું છે કે તે દિવસ કચરામાંથી કોઈ બાળકી નહતી મળી, પરંતુ એક હીરો મળ્યો હતો. જે આજે તેમના વૃદ્ધાસ્થાનો ટેકો બની ચૂક્યો છે. મે જ્યારે જ્યોતિને દત્તક લીધી હતી ત્યારે મને સમાજમાં ખૂબ બદનામી સહન કરવી પડી હતી. જે દરેક વ્યક્તિ નથી કરી શકતી. મને આજે ખુશી છે કે મારી દિકરીને આટલે સુધી ભણાવીન્ પહોચાડી છે.