આ 5 લોકો ગરીબ માટે દેવદૂત બન્યા , કોઈએ 30 લાખ લોકોને ભોજન કરાવ્યું છે તો કોઈએ ગરીબો માટે વેચી છે પોતાની સંપત્તિ
કહેવાય છે કે વાસ્તિવક વ્યક્તિ એ છે જે બીજા માટે જીવે છે. જોકે, આ મોંઘવારીના યુગમાં વ્યક્તિ માટે પોતાની જરૂરિયાતો પૂરી કરવી એ મોટી વાત છે. પરંતુ હજુ પણ આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેમણે સામાન્ય હોવા છતાં વિશેષ કાર્યો કર્યા છે અને માનવતાના નિયમનું પાલન કરીને જીવનભર બીજાના ભલાનો વિચાર કર્યો છે.
જગદીશ આહુજા (લંગર બાબા)
ચંડીગઢના જગદીશ લાલ આહુજા ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ અદ્દભૂત કાર્ય હંમેશા યાદ રહેશે. લોકો તેમને લંગર બાબાના નામથી ઓળખતા હતા. 86 વર્ષીય લંગર બાબા દરરોજ 2500 જરૂરિયાતમંદ દર્દીઓ તેમના પરિવારજનો અને ગરીબોને ભોજન કરાવતા હતા. તેમણે 2001થી પીજીઆઈ હોસ્પિટલની બહાર લંગર સેવા શરૂ કરી, જે તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખી. આ લંગર સેવા ચાલુ રાખવા માટે તેમણે પોતાની 1.5 કરોડની સંપત્તિ વેચી દીધી. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમણે શરૂ કરેલી લંગર સેવા તેમના મૃત્યુ પછી પણ ચાલુ રહે.
જયશ્રી રાવ
72 વર્ષના જયશ્રી રાવ 1967માં 18 વર્ષની હતી ત્યારે તેણે ગ્રામપરી નામની એનજીઓ શરૂ કરી હતી. આ માટે તેણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ પણ છોડી દીધો હતો. તેણે 10 વર્ષ સુધી NGO સાથે કામ કર્યું. તે પછી 1976માં તે પોતાના પતિ સાથે ઈંગ્લેન્ડ ગઈ હતી. 1982માં બેંગ્લુરૂ પરત ફર્યા બાદ તેમણે ‘જેઆર રાવ એન્ડ કંપની’ નામની ટ્રેડિંગ કંપની શરૂ કરી.
2006માં એક દિવસ તેમની કંપનીએ એક લાખનો નફો કર્યો. તે જ દિવસે જ્યારે તે શાકભાજી લેવા બજારમાં ગઈ ત્યારે તેણે શાકભાજી વેચનાર સાથે 5 રૂપિયા માટે ભાવતાલ કર્યો. શાકભાજીવાળાએ 5 રૂપિયા ઓછા ભાવે શાકભાજી આપ્યા પરંતુ જયશ્રીને વિચારવા મજબૂર કરી કે આજે તેણે 1 લાખનો નફો કર્યો છે, પરંતુ તેમ છતાં તેણે એક ગરીબને 5 રૂપિયા ઓછા આપ્યા. આ પછી 2007 માં તેણે લોકોના ભલા માટે તેની કંપની તેના 9 કંપનીના કર્મચારીઓને 25 હજારમાં વેચી દીધી અને તેના NGO દ્વારા લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. જયશ્રીએ તેના NGO દ્વારા 200 ગામડાઓમાં 1.22 લાખ લોકોને મદદ કરી છે.
મહેશ સવાણી
ગુજરાતના પ્રખ્યાત હીરાના વેપારી મહેશ સવાણી ઈચ્છતા હતા કે તેમને પણ એક દીકરી હોય, પરંતુ તેમની વિચારસરણીએ તેમને 4000 દીકરીઓના પિતા બનાવ્યા. વાસ્તવમાં મહેશ સવાણીને પોતાની કોઈ પુત્રી નથી, માત્ર બે પુત્રો છે, પરંતુ તેમણે 4000 છોકરીઓના લગ્ન કરાવીને ઘણી વખત પિતા બનવાનો આનંદ મેળવ્યો છે.
તેમના મોટા ભાઈના અવસાન બાદ તેમણે તેમની બે દીકરીઓના લગ્ન કરાવ્યા. આ ઉમદા કાર્ય પછી, તેમણે એવી છોકરીઓના લગ્ન કરવાનું વિચાર્યું કે જેમના પિતા નથી. આ ઉમદા વિચાર સાથે તેમણે 2008માં આ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારથી આ સિલસિલો ચાલુ રહ્યો. દીકરીના લગ્નમાં 4 લાખ રૂપિયાનો ખર્ચ કરનાર મહેશ સવાણીને તેમની દીકરીઓ મહેશ પાપા કહે છે. આ સિવાય મહેશ પોતાના કર્મચારીઓને ઘર, કાર વગેરે જેવી મોંઘી ભેટ આપવા માટે પણ જાણીતા છે.
ખૈરા બાબા કરનૈલ સિંહ
82 વર્ષીય ખૈરા બાબા કરનૈલ સિંહ મહારાષ્ટ્રના યવતમાલ NH-7 પર ભૂખ્યા લોકોને ખવડાવે છે. ખૈરા બાબાએ આ લંગર સેવા 1988માં શરૂ કરી હતી. 33 વર્ષથી તે પ્લાસ્ટિકની ચાદરથી ઢંકાયેલ ટીનશેડની અંદર ભૂખ્યા લોકોને ખવડાવી રહ્યા છે. ખૈરા બાબાએ અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોનું પેટ ભર્યું છે. ખૈરા બાબાની લંગર સેવા ટીમમાં 17 લોકો છે, તે બધા દિવસ-રાત લંગર સેવામાં લાગેલા છે. તેમના લંગરમાં માત્ર માણસો જ નહીં, પરંતુ કૂતરા, બિલાડી અને ગાય જેવા જંગલી પ્રાણીઓ પણ દરરોજ પેટ ભરે છે.
તજામ્મુલ પાશા અને મુઝામ્મિલ પાશા
પાછલા કોરોના કાળમાં જ્યાં લોકો વાયરસથી ડરતા હતા, જ્યારે એક વર્ગ બે ટાણાના રોટલો માટે વલખા મારતા હતા. આવી સ્થિતિમાં કર્ણાટકના કોલાર જિલ્લાના બે વેપારી ભાઈઓ તજામ્મુલ પાશા અને મુઝામ્મિલ પાશાએ ગરીબોને ખવડાવવા માટે તેમની જમીન 25 લાખ રૂપિયામાં વેચી દીધી. બંનેએ તેમની 25 લાખની કિંમતની જમીન વેચી હતી અને મોટી સંખ્યામાં ગરીબ લોકો માટે જરૂરી અનાજ ખરીદ્યું હતું. આ બંને ભાઈઓએ 3000 થી વધુ પરિવારોને જરૂરી ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી.