કોઈ પણ મોટું કામ કરતા પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ ભગવાનના ચરણોમાં અવશ્ય ઝુકાવે છે મસ્તક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફોર્બ્સની ‘ગ્લોબલ ગેમ ચેન્જર્સ’ની યાદીમાં નંબર વન રેન્ક મેળવ્યો છે. આ લિસ્ટમાં એવા લોકોના નામ સામેલ છે જેમણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું અને સાહસિક નિર્ણયો લઈને ઇન્ડસ્ટ્રીને બદલી નાખી, પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી કોઈપણ કામ કરતા પહેલા રાજસ્થાનના મંદિરમાં જવાનું ભૂલતા નથી. આ મંદિર રાજસમંદમાં સ્થિત શ્રીનાથજીનું છે. 14 મેના રોજ પણ મુકેશ અંબાણી કોઈને જાણ કર્યા વિના આ મંદિરમાં પહોંચ્યા હતા. મા કોકિલાબેન આ મંદિરના ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. #ચેરમેન
જન્મદિવસથી લઈને કોઈપણ પ્રોડક્ટ લોન્ચ કરવા સુધી, મુકેશ અંબાણી પરિવાર નાથદ્વારા મંદિરમાં દર્શન કરવાનું ભૂલતો નથી. આ ભગવાન શ્રીનાથનું મંદિર છે. મુકેશ અંબાણીના માતા કોકિલાબેન આ મંદિરના ટ્રસ્ટના ઉપાધ્યક્ષ છે. અંબાણી પરિવાર તરફથી આ મંદિરમાં ઘણું દાન આપવામાં આવે છે.
અનિલ અંબાણીને પણ અહીં શ્રદ્ધા છે
મુકેશ અંબાણીની જેમ તેમના નાના ભાઈ અનિલ અંબાણી પણ શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. અનિલ અંગત અને વ્યાવસાયિક જીવનમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અહીં આવવાનું ભૂલતા નથી. રિલાયન્સ પાવરની શરૂઆત પહેલા જ અનિલ અંબાણી અહીં મુલાકાતે આવ્યા હતા. ગ્લેમરસ લાઈફ જીવતા અનિલ અંબાણીની ફેમિલી ખૂબ જ ધાર્મિક છે.
શ્રીનાથજી કૃષ્ણનું બાળ સ્વરૂપ છે
નાથદ્વારા પાસે આવેલ શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ છે. આ મંદિર ઉદયપુરથી લગભગ 50 કિમી દૂર રાજસમંદ જિલ્લામાં છે. શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ દેવ છે. રાજસ્થાન અને ગુજરાતના લોકો તેમનામાં સૌથી વધુ વિશ્વાસ ધરાવે છે.