મોગલ ધામ રાધનપુરથી ભક્ત માનતા પૂરી કરવા માટે પધાર્યા, 10 તોલા ઘરેણા માના ચરણમાં અપર્ણ કરી દીધા
મોગલ ધામ રાધનપુરથી ભક્ત માનતા પૂરી કરવા માટે પધાર્યા, 10 તોલા ઘરેણા માના ચરણમાં અપર્ણ કરી દીધામોગલ માં ના પરચા અપરંપાર છે. મા મોગલના માત્ર દર્શન થઇ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે અને કહેવામાં આવે છે કે, જે કોઈ ભક્તો મા મોગલ મંદિરે દર્શન કરવા માટે આવે છે. તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પાછા ફરે છે. આ સાથે જો સાચા દિલથી મા મોગલ ને માનવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ બધા ભક્તોને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મોગલ માનો મહિમા અપરંપાર છે. માત્ર એટલું જ નહીં પરંતુ મા મોગલના આજ દિન સુધી લાખોની સંખ્યામાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.
સૌ ભક્તો જાણે જ છે કે, કબરાઉ ધામ મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. મા મોગલ પર શ્રદ્ધા રાખીને મોગલ માની માનતા માનવામાં આવે તો મા મોગલ અવશ્ય બધી જ માનતાઓ પૂર્ણ કરે છે. ત્યારે મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે મા મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી. વધુમાં કહ્યું હતું કે, એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવામાં આવે છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી મા મોગલની શરૂઆત થાય છે અને એ માં મોગલ બધા ભક્તોને હંમેશા સુખી અને હસતા રાખે છે.
ત્યારે કચ્છ કબરાઉ માઁ મોગલને ધામ પોતાની માનતા પૂરી કરવા માટે એક પરિવાર આવ્યો હતો. મોગલ ધામ પધારેલ ભક્તનું નામ દિનશેભાઈ છે, તેઓ પોતાના પરિવાર સાથે માતાજીના ધામે પધાર્યા હતાં. તેઓ મૂળ રાધનપૂરના વતની છે, તેમની માનતા મુજબ, દીકરો સંબંધ થયો હતો પરંતુ પુત્ર- પુત્રવધૂને મનમેળ ન થતા સંબંધ તૂટી ગયો હતો.
વધુંમાં મભક્તે જણાવ્યું કે સંબંધ તો તૂટી ગયો પરંતુ છોકરીના પરિવાર તરફથી ઘરેણા ન હતાં દેવા આવતા પછી અમે મોગલ માને માનતા માની કે જો અમારા ઘરેણા પરત આપી જશે તો માઁના ચરણે આવી બધાં ઘરેણા અર્પણ કરશું, પછી માતાજીએ પરચા પૂરતા ભક્ત માનતા પૂર્ણ થઈ અને ભક્તનો આખો પરિવાર માતાજીના ધામ પધાર્યો હતો, અને મણીધર બાપુના ચરણોમાં બધાં જ ઘરેણાં અર્પણ કરી દીધાં હતા, ત્યારે મણીધર બાપુએ તેમની દીકરીને બધાં ઘરેણા પરતા આપી દીધા હતાં અને કહ્યું કે માતાજીને ઘરેણાની કોઈ જરૂર નથી. મા તો ભાવના ભૂખ્યા છે, બસ મોગલ માઁ પર વિશ્વાસ રાખજો તમારૂ ધાર્યું કામ થઈ જશે. જય મોગલ માઁ