અમેરિકાથી પધારેલા દંપતીને લગ્નના પંદર વર્ષ બાદ માતાજીએ દીકરો આપતા જ માનતા પૂરી કરવા માટે માઁ મોગલ ધામ પહોચ્યા…
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.
અમેરિકામાં રહેતા પારૂલબા જાહેજા મોગલ માઁના દર્શનાર્થે આવ્યા હતા, ત્યારે તેમણે જણાવ્યું કે લગ્નના પંદર વર્ષ પછી માતાજી મોગલે દીકરો આપ્યો છે જેના કારણે પરિવારમાં હરખની લાગણી હતી અને મોગલ ધામ માનતા પૂરી કરવા માટે સંપૂર્ણ પરિવાર આવ્યો હતો.
ત્યારે માઁ મોગલની ગાદી સંભાળતા મણીધર બાપુએ કહ્યું કે માતાજી પર વિશ્વાસ હતો ત્યારે તમને આ ફળ મળ્યું છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ શ્રદ્ધાને કારણે મળ્યું છે, જય મોગલ માઁ