બીમાર રહેતા હોવાથી અનેક દવાખાના ફર્યા પણ સાજા ન થયા અને પછી ભક્તે મોગલ માઁને ખરા હૃદયથી માનતા કરતા એવું શ્રદ્ધાનું ફળ મળ્યું કે…
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી. #ધંધો
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.
ધ્રાગંધ્રા તાલુકાના હીરાપુર ગામથી પધારેલા મહિલા ભક્તનું નામ હંસા બહેન છે. તેમની માનતા મુજબ અમે દવાખાના ફરી ફરીને થાકી ગયા પણ કોઈ નિવારણ ન આવતા પછી મોગલ માઁને ખરા હૃદયથી શ્રદ્ધા રાખીને માનતા માની હતી પછી માતાજીએ અમારૂ દુ:ખ દૂર કરી દેતા મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ.
ત્યારબાદ માનતા પૂરી કરવા માટે મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા હતા પછી આ જ રૂપિયામાં બાપુએ એક રૂપિયો ઉમેરીને કહ્યું કે માતાજીએ તમારી 100 ગણી માનતા સ્વીકારી લીધે છે અને આ પૈસા તમે તમાારી દીકરીને આપી દેજો. જય મોગલ માઁ