દાદાને ઘણી બીમારીઓ હતી તેઓ પહેલા ડોક્ટર પાસે ગયા પરંતુ ત્યાંથી ફેર ન પડતા મોગલ માઁને માનતા કરી તો પૂરી થતા તેઓ મોગલ ધામ ગયા તો મણીધર બાપુએ કહ્યું કે…

દાદાને ઘણી બીમારીઓ હતી તેઓ પહેલા ડોક્ટર પાસે ગયા પરંતુ ત્યાંથી ફેર ન પડતા મોગલ માઁને માનતા કરી તો પૂરી થતા તેઓ મોગલ ધામ ગયા તો મણીધર બાપુએ કહ્યું કે…

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

આબુથી મોગલ ધામ પધારેલા ભક્તનું નામ સોમી દાદા છે, તેમની માનતા મુજબ, તેઓ ઘણી બીમારી સામે લડી રહ્યા છે પછી તેઓ ડોક્ટરને બતાવવા માટે ગયા હતાં, તો ડોક્ટરે દાદાને કહ્યું તમારી નસો બ્લોક છે, લીવરમાં, કિડનીમાં પણ તકલીફ છે તો પછી અમે દવા કરી પણ જરા પણ ફેર ન હતો પડ્યો પછી દાદાના નજીકના સગાએ મોગલ માઁના વીડિયો જોયા બાદ દાદા સાજા થઈ જાય તે માટેની માનતા મંગળવારે માની હતી અને પછી આવતા મંગળવારે દાદાના દુખમાં પરિવર્તન આવતા આ લોકો મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યાં હતાં.

ત્યારબાદ માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના ચરણોમાં 11 હજાર રૂપિયા અર્પણ કર્યા હતા, ત્યારે મણીધર બાપુએ આ ભક્તોને જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી અને આ માતાજી પર વિશ્વાસ રાખ્યો તેમનું ફળ છે, સાથે હું એટલું જ કહીશ કે દવા અને દુવા બંને પર વિશ્વાસ રાખજો અને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *