અમેરિકાથી પધારેલા મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં એક લાખથી પણ વધું રૂપિયા અર્પણ કરતા બાપુએ જણાવ્યું કે….
કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
કચ્છ કબરાઉ ધામ પધારેલા મહિલા ભક્તનું નામ પારૂલ બહેન છે, જેઓ માતાજીના ધામે અમેરિકાથી આવ્યાં છે. મહિલા જણાવે છે કે મારી કમરમાં અસહ્ય દુખાવો થતો હતો પછી મે મોગલ માઁને માનતા માની કે હે માતાજી મારી કમરનો દુખાવો મટાડી દેશો તો હું મોગલ ધામ આવીને માનતા પૂરી કરીશ અને માતાજીએ મારી અરજ શીઘ્ર સાંભળીને માનતા પૂરી કરવા માટે આવ્યાં છીએ.
ત્યારબાદ મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં 1 લાખ, એક હજાર અને એક રૂપિયો અર્પણ કર્યા હતાં ત્યારે મણધીર બાપુએ કહ્યું કે આ પૈસા તમારી દીકરી અને નણંદને આપી દેજો અને આ માનતા માતાજીએ સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ