મહિલા ભક્તની દીકરી પરીક્ષામાં પાસ થઈને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી તો મોગલ ધામ મસ્તક ટેકાવવા પહોચ્યાં ત્યારે મણીધર બાપુએ કહ્યું કે
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.
જેતપૂરથી કચ્છ કબરાઉ ધામ ગયેલા ભક્તનું નામ સુમિતા બહેન છે, તેમની માનતા મુજબ, મારી દીકરી પરીક્ષામાં સારા ગુણ આવે અને પાસ થાય એ માટે મે મોગલ માઁને માનતા કરી તો દીકરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી હતી તો ખુશીની લાગણી સાથે મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ.
ત્યારબાદ મોગલ માઁની ગાદી સંભાળતા મહંત મણીધર બાપુના ચરણોમાં મહિલા ભક્તે 11 હજાર એકાવન રૂપિયા અર્પણ કર્યા હતા. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે દીકરી આ તો ખૂબ ખુશીની વાત કહેવાય અને તું જીવનમાં ખૂબ પ્રગતિ કરજે અને ગુજરાતનું નામ રોશન કરશે મોગલ માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે.