ભક્તને શરીરમાં અસહ્ય દુખાવાની એવી તકલીફ હતી કે જે સર્જન ડોક્ટરથી પણ સારૂ થાય તેમ ન હતું પછી તેમણે મોગલ માઁને માનતા માની તો
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. #અસહ્ય
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા.
ગોંડલના ગુડારા ગામથી આવેલા આ મોગલ માઁના ભક્તનુ નામ વિપુલભાઈ છે, તેમની માનતા મુજબ, મને શરીરમાં અસહ્ય દુખાવો થતો હતો જેના કારણે ખૂબ પરેશાન રહેતો હતો પછી હું ડોક્ટરને બતાવવા ગયો તો ત્યાં અલગ અલગ દુખ આવતા હતાં જેમાં કોઈ મણકાની તકલીફ કહેતા, કોઈ સ્પાઇનની સમસ્યા છે અને ખરેખર સાચું દુખ જાણવા મળતું ન હતું પછી હું મોગલમાના વીડિયો જોતો હતો અને માતાજીને સ્મરણ કર્યું કે જો તમે મારૂ દુખ દૂર કરી દેજો હું તમારા ચરણોમાં આવીને માનતા પૂરી કરીશ.
ત્યારબાદ માતાજીએ મારી અરજ સાંભળી અને મારા દુખ દૂર થઈ ગયાં તો હું મોગલ ધામ માનતા પૂરી કરવા આવ્યો છું, ત્યારબાદ માનતા પૂરી કરવા માટે મોગલ માઁના ભક્તે મણીધર બાપુના ચરણોમાં 21000 રૂપિયા અર્પણ કર્યાં તો મણીધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માતાજી પર રાખેલા વિશ્વાસનું ફળ છે આ પૈસા તમે તમારી દીકરીને આપી દેજો માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ