માઁ મોગલના ચરણે આવેલી મહિલા ભક્તે કહ્યું કે અસહ્ય માથામાં દુખાવો રહેવાથી માતાજીને માનતા માની હતી, પછી તેની સાથે એવું બન્યું કે…
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી. #માઁ
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
ત્યારે ફરીએકવાર એક મહિલા પોતાના માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં બિરાજમાં માઁ મોગલના ચરણે ગયાં હતાં. આ મહિલા ભક્તને અસહ્ય માથુ દુખવાની ફરિયાદ રહેતી હતી. જે બાદ આ મહિલા ભક્તે માઁ મોગલને માનતા માની હતી કે જો તેમનું માથું હંમેશા માટે મટી જશે તેઓ કબરાઉ માઁ મોગલના ધામે આવશે અને પોતાની માનતા પૂરી કરશે. ત્યારે તેમનું માથું મટી જતા મહિલા ભક્ત છેક રાજકોટથી કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલમાંના ચરણે આવ્યાં હતાં.
આ મહિલા ભક્તોને મણીધર બાપુને કહ્યું કે તમે માનતી પૂરી કરવા આવ્યાં છે, આ મહિલાને પૂછવામાં આવ્યું કે શેની માનતા માની તો તેમણે કહ્યું કે મારૂ અસહ્ય માથુ દુખતું હતું તે મટી જતા રાખેલી માનતા પૂરી કરવા આવ્યાં છે. માઁ મોગલના આ મહિલા ભક્તે 5 હજારની માનતા માની હતી તો મણીધર બાપુ તેમના પૈસા સ્વીકરવાની મનાય કરી હતી તેમાં એક રૂપિયો ઉમેરી આ મહિલાને પૈસા પરત આપતા કહ્યું કે માઁ મોગલને દાન-ભેટ કે પૈસાની કોઈ જરૂર નથી માઁ તો ભાવના ભૂખ્યા છે બસ તમે માઁ પર વિશ્વાસ રાખો તમારા બધાં કામ થઈ જશે તમારા પર માતાજી અવશ્ય કૃપા વરસાવશે.