મુંબઈના આ મહિલા ભક્ત કચ્છના કબરાઉમાં બિરાજમાન મોગલમાઁ ધામ ગયાં હતાં પછી તેમણે હજારો રૂપિયા માતાજીના ચરણમાં ધર્યાં તો મણીધર બાપુ એ કહ્યું કે…
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક મહિલ પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.
મુંબઈથી આવેલા માઁ મોગલના મહિલા ભક્તનું નામ યાશમીન છે, જેમનુ કામકાજ મસકત અને દુબઈમાં છે. તેઓ રાજી ખુશીથી મોગલ ધામ દર્શન કરવા માટે આવ્યાં હતાં, અને પોતાના વ્યવસાયમાં અઢળક બરકત આવે તેવા ઉદેશ્ય સાથે સયુક્ત પરિવાર સાથે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલના ધામે આવ્યાં હતાં.
ત્યારબાદ તેમણે મણીધર બાપુના ચરણોમાં 51000 ધર્યાં હતાં અને બાપુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. પછી મણીધર બાપુએ તેમા એક રૂપિયો આપીને કહ્યું માઁ મોગલે તમારી એકાવન ગણી માનતા સ્વીકારી લીધી છે. માઁ ઉપર વિશ્વાસ રાખજો તમારા પર કોઈ દિવસ વાંકો વાળ પણ આવવા દેય. ત્યારબાદ આ પરિવારે મણીધર બાપુના આશીર્વાદ લઈને ખુશ ખુશ થઈ ગયાં હતાં. જય મોગલ માઁ