યુવકની નોકરી જતી રહી તો તેમણે માઁ મોગલને સાચી શ્રદ્ધાથી માનતા માની તો પછી એવું થયું કે
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલને ધામ પહોચ્યો હતો.
ગાંધીધામથી આવેલા આ માઁ મોગલના ભક્તનું નામ ચંદન કુમાર છે, તેમની માનતા મુજબ, તેને તકલીફ એવી હતી કે તેની નોકરી જતી હતીં તો ફરી કામ-ધંધો ચાલુ થયો તો મોગધ ધામ પોતાની માનતા પૂરી કરવા આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે માતાજીની દયાથી ધંધો ચાલું છે, અને બધું વ્યવસ્થિત થઈ ગયું છે. પછી તેમણે મણીધર બાપુના ચરણોમાં 500 રૂપિયા ધર્યા હતાં પછી તેમાં બાપુએ એક રૂપિયાને કહ્યું કે માઁએ તારી માનતા સ્વીકારી લીધી છે આ પૈસા તારી બહેનને આપી દેશે એટલે માતાજી રાજી રાજી થશે.