માઁ મોગલને ખરા હૃદયથી પ્રકટ કરવા મણીધર બાપુએ આપ્યા આ વિશેષ ઉપદેશો, આટલું કરવા માત્રથી જ તમારા બધાં દુખ માઁ હરી લેશે

માઁ મોગલને ખરા હૃદયથી પ્રકટ કરવા મણીધર બાપુએ આપ્યા આ વિશેષ ઉપદેશો, આટલું કરવા માત્રથી જ તમારા બધાં દુખ માઁ હરી લેશે

આપણે બધાં જાણીએ છીએ કે એક અલૌકિક શક્તિથી આખું વિશ્વ ચલાવે છે કે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે લોકો અલગ અલગ રૂપમાં ભગવાનને પૂજે છે અને વ્યક્તિ ખુશ હોઈ કે દુઃખી સૌથી પહેલા ભગવાનના જ શરણમાં જાય છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવાની છે કે જેમના પરચા વારંવાર જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે માં નો હાથ કાયમ ભક્તોના મસ્તક પર રહે છે ભક્તોના દુઃખ હરવા માટે અને મુસીબતને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલને ઘણી અતૂટ વિશ્વાસ છે માના ભક્તો સમગ્ર દુનિયામાં વસવાટ કરે છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે માતાને અરજ કરે છે અને માની માનતા રાખે છે.

આપણે અહીં કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ વિશે વાત કરવાની છે અહીં માના સાનિધ્યમાં મણીધર બાપુ લોકોના પથ દર્શી બન્યા છે. અહીં માતાના ભક્તો દેશ વિદેશથી દર્શને આવે છે અને માનતા પૂરી કરે છે. જણાવી દઈએ કે અહીં મંદિર માં વર્ષોથી પૈસાનું દાન લેવામાં આવતું નથી ફક્ત અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે. જાણાવી દઈએ કે અહીં ભક્તોને વીના મુલ્ય ભોજન કરા2વવામાં આવે છે.

મોટી સંખ્યા માં ભક્તો આવવા છતા અહીં ભોજન ની કમી નથી થતી જે માના આશિર્વાદ છે જણાવી દઈએ કે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માની પૂજા કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે મણીધર બાપુએ સંબોધન આપી માં ને ખુશ કરવાનો ઉપાય જણાવ્યા હતા.

મણીધર બાપુએ કહ્યું કે માંને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વાર રહેવાની જરૂર નથી હોતી. માત્ર ગરીબને કપડાં કે ભોજન જમાડવાથી મા પ્રકટ થાય છે મંગળવારના દિવસે ગરીબ બાળકીને જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે આમ અન્યને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે અને તમારી બધી મનોકામના માઁ મોગલ પૂર્ણ કરે છે.

મિત્રો પસંદ આવ્યો હોય તો શેર કરીને જય મોગલ માઁ અવશ્ય લખજો

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *