બકરીઓ ચરાવી, 5 વખત નિષ્ફળ ગયા પણ હાર ન માની, આજે UPના રામ પ્રકાશ IAS બનીને દેશની સેવા કરી રહ્યા છે
ઘણાં લોકો ગરીબીનો ભોગ બનતા હોય છે. પણ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના નિવાસી રામ પ્રકાશે પોતાનું નસીબ જાતે જ લખ્યું અને સમાજ માટે એક ઉદાહરણ બની ગયા. રામ પ્રકાશનો જન્મ જિલ્લાના જમુઆ બજારના એક સામાન્ય પરિવારમાં થયો હતો. પરિવારને મદદ કરવા માટે, તેણે દરરોજ શાળા પછી બકરા ચરાવવા ગામ જવું પડતું હતું. કોઈક રીતે તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 2007માં તેનું 12મું પાસ કર્યું.
છઠ્ઠા પ્રયાસમાં 162 રેન્ક સાથે IAS પરીક્ષા પાસ કરી
તેમની આગળની સફરમાં, રામ પ્રકાશે નક્કી કર્યું કે તેઓ યુપીએસસીની તૈયારી કરશે. રામ પ્રકાશ પાંચ વખત નાપાસ થયો પણ તેણે હાર ન માની અને અભ્યાસ ચાલુ રાખ્યો. છેવટે, છઠ્ઠા પ્રયાસમાં, તે 162 રેન્ક સાથે IAS પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યો છે. હાલમાં, તેઓ રાજસ્થાનના પાલી જિલ્લામાં સીઈઓ જિલ્લા પરિષદ તરીકે તૈનાત છે અને દેશની સેવા કરી રહ્યા છે.
IAS રામ પ્રકાશે સોશિયલ મીડિયા પર એક યાદ શેર કરી છે
તાજેતરમાં, IAS રામ પ્રકાશે, તેમના જીવનની એક કહાની શેર કરતા લખ્યું, “જૂન 2003: અમે 5-6 લોકો બકરા ચરાવવા ગયા હતા. ત્યાં એક આંબાના ઝાડની ડાળી પર ઝૂલાઓ ઝૂલતા હતા. અચાનક ડાળી તૂટી ગઈ. કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ માર ન પડે તે માટે અમે ઝાડની ડાળી ભેગી કરી હતી જેથી ડાળી તૂટી છે કે નહીં તે ખબર ન પડે.
जून 2003: हम 5-6 लोग बकरियां चराने गए थे। वहीं पर आम के पेड़ की डाल पर झूला झूल रहे थे। अचानक से डाल टूट गई। किसी को चोट तो नही लगी लेकिन मार खाने से बचने के लिए हम लोग मिलकर पेड़ की डाल ही उठा लाए थे जिससे पता ही ना चले कि डाल टूटी है या नही। #justsaying #बचपन
— Ram Prakash, IAS (@ramprakash0324) April 3, 2022
ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર રામ પ્રકાશની કહાની સાથે પોતાની જાતને જોડી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અહીં કેટલાક ઉદાહરણો છે: