મોગલ માઁના કેટલા મંગળવાર રહેવા જોઈએ, જાણો મણીધર બાપુએ આ વિશે શું કહ્યું…

મોગલ માઁના કેટલા મંગળવાર રહેવા જોઈએ, જાણો મણીધર બાપુએ આ વિશે શું કહ્યું…

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હજરાહજુર ભક્તને પરચા આપે છે,

અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માંના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તોના દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

મણીધર બાપુએ જણાવ્યું કે, દીકરીઓએ, માઁ મોગલના દરેક ભક્તે માતાજીના ધામ ધક્કા ખાવાની જરૂર ન પડે તે માટે, મનો મન માઁ મોગલને એટલી માત્ર અરજ, પ્રાર્થના કરવાની, કે હે મોગલ માઁ મારી મનોકામના પૂર્ણ થઈ જાય તે માટે સળંગ મોગલ માઁના ત્રણ મંળવાર રહેવાની જરૂર હોય છે. અઢારે વરણની દીકરીમાંથી કોઈને જમાડશો એટલે તમે કોઈનો આત્મા ઠારશો તો મા મોગલ તમારો આત્મા ઠારશે, અને રહેવાથી તમને નબરાળાઇ આવે આ માટે શ્રદ્ધા સાથે મા મોગલનું સ્મરણ કરીને મંગળવાર રહો તો તમારૂ ધારેલું કામ થઈ જશે.

વધુંમાં મણીધર બાપુએ કહ્યું કે આ માટે સ્નાન કરવાની જરૂર નથી બસ તમારૂ મન શુદ્ધ હોવું જોઈએ,

જમવા માટેના નિયમો

સવારે- સીરવવાનું
બપોરે- હરિહર એટલે અઢારે વરણમાંથી કોઈની પણ દીકરીની ભોજન કરાવો પછી તમે જમશો એટલે માઁ મોગલ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે જ.
રાત્રે-વાળુ કરવું અને આ બધાં સ્વાત્વિક ભોજન કરવા જોઈએ તેમ મણીધર બાપુએ જણાવ્યું છે, જય મોગલ માઁ

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *