કરજ અને બીમારી ઘર કરી ગઈ છે તો કરો આ આસાન ઉપાય, એક મહિનામાં મળશે હંમેશા હંમેશા માટે છુટકારો

કરજ અને બીમારી ઘર કરી ગઈ છે તો કરો આ આસાન ઉપાય, એક મહિનામાં મળશે હંમેશા હંમેશા માટે છુટકારો

રોગ અને કરજ બે એવી વસ્તું છે, જેના કરાણે માણસની નિંદર જ ઉડી જતી હોય છે. બીમારી અને કરજ હોવાથી માનસિક અને શારીરિક સ્થિતિ પર પણ ખૂબ અસર પડે છે. જો તમે કોઈ બીરમારીથી પીડાવ છો અથવા તમે દેવાના ડૂંગર પર દટાય ગયાં છો તો તેથી નીકળવાના ઉપાય લાલ પુસ્તકમાં જણાવવામાં આવ્યાં છે. આ ઉપાયોની મદદથી તમારી બીમારી અને કરજથી છુટકારો મળશે. રોગ એકદમ મટી જશે અને કરજ પણ ચૂકવાય જશે. તો ચાલો જાણીએ, કરજ અને રોગથી છુટકારો મળવવાના કેટલાક સરળ ઉપાય.

શિવલિંગની પૂજા કરો
કરજથી છુટકારો મેળવવા માટે કોઈપણ મહિનાની શુક્લ પક્ષનો પ્રથમ મંગળવારે મંદિરે જઈને શિવજીની પૂજા કરો. ભગવાન શિવની પૂજા કરતા તેમને દૂધ અને જળ અર્પણ કરો. ત્યારબાદ એક દીવો પ્રગટાવો અને શિવલિંગ પાસે મસૂરની દાળનું એક પેકેટ રાખી દો. પછી ઋણમુક્તેશ્વર મંત્રનો જાપ કરો. આ મંત્રને ઓછોમાં ઓછો 108 વાર વાંચો. સાથે જ આર્થિક સ્થિતિ પણ શ્રેષ્ઠ થઈ જશે. આ મંત્ર આ પ્રકાર છે-
“ॐ ઋણમુક્તેશ્વર મહાદેવાય નમ:”

પીપળાના વૃક્ષ નજીક દીવો પ્રગટાવો
શનિવારના દિવસે પીપળીના વૃક્ષ પર માતા લક્ષ્મી અને વિષ્ણુનો વાસ હોય છે. એટલા માટે શનિવારે આ વૃક્ષ નીચે એક સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ વૃક્ષના નીચે દીવો પ્રગટાવ્યા બાદ તેમનું સાત પરિક્રમા પણ લો અને પાછળ વળ્યા વગર સીધા ઘરે આવી જાઓ. આ ઉપાય પાંચ શનિવાર સુધી કરો. આ ઉપાય કરવાથી કરજમાંથી મુક્તિ મળી જશે.

માતા લક્ષ્મીની કરો પૂજા
માતા લક્ષ્મીના ધનના દેવી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં મૂડી બકરત રહે છે. તેમજ દેવા માંથી છુટકારો મેળવવા માટે પણ લક્ષ્મીજીનું પૂજન લાભકારી સિદ્ધ થાય છે. શુક્રવારે માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. એટલા માટે શુક્રવારે ધનના દેવી માતા લક્ષ્મીનું પૂજન અવશ્ય કરો અને તેમને કમળનું પુષ્પ અર્પણ કરો. માતા લક્ષ્મી કમળનું ફૂલ અતિ પ્રિય છે. લક્ષ્મીજીની શુક્રવારે પૂજા કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થાય છે.

રોગથી છુટકારો મેળવવાના ઉપાય
આ મંત્રનો કરો જાપ
કોઈપણ પ્રકારની બીમારીથી પીડાતા હોય તો ફક્ત આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાયની મદદથી રોગ દૂર થઈ જશે. તમે દરરોજ “ॐ રૂદ્રાય નમ: મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ સતત 6 મહિના સુધી કરો, રોગ મટી જશે. જો તમે આ મંત્ર નથી વાંચી શકતા તો તમારી જગ્યાએ કોઈ અન્ય સભ્ય આ મંત્રનો જાપ કરી શકે છે.

સૂર્યદેવને આપો અર્ધ્ય
સૂર્યદેવી પૂજા કરવાથી રોગ દૂર થાય છે. રવિવારનો દિવસ સૂર્યદેવથી જોડાયેલો છે. એટલા માટે રવિવારે સૂર્યદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે જ તેમને અર્ધ્ય પણ આપો. સૂર્યદેવને અર્ધ્ય આપવા માટે એક તાંબાના લોટાની અંદર જળ ભરો. તેમાં લાલ રંગનુ ફૂલ, ચોખા અથવા કુમકુમ નાંખો. પછી સૂર્યદેવને આપતા આ જળ તેમને અર્પણ કરો અને સૂર્યદેવના નામનો જાપ કરો.

મસ્તક નીચે રાખો પાણી
ચાંદીના એક પાત્રમાં જળ ભરીને તેમાં કેસર નાંખો. તેને રોગીઓના માથું નીચે રાખી દો. સવારે ઉઠીને આ પાણીને પીપળો અથવા તુલસીમાં ચઢાવી દો. આ ઉપાય કરવાથી બીમાર મનુષ્ય પર દવાની અસર થવા લાગે છે અને તે સાજા થઈ જાય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *