કચ્છ કબરાઉ / મોગલ માઁની ગાદી સંભાળતા મણીધર બાપુએ કહ્યું કે જે દિવસ પૈસા લઈશ તે દિવસ મારૂ મૃત્યુ નક્કી છે, કારણ કે…

કચ્છ કબરાઉ / મોગલ માઁની ગાદી સંભાળતા મણીધર બાપુએ કહ્યું કે જે દિવસ પૈસા લઈશ તે દિવસ મારૂ મૃત્યુ નક્કી છે, કારણ કે…

કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્ત આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

માઁ મોગલની ગાદી સંભાળતા મણીધર બાપુએ માતાજી પ્રત્યે અતૂટ પરચા પૂરતો કિસ્સો જણાવ્યો હતો. તેમણે કહ્યું કે માઁ મોગલમાં અલૌકિક શક્તિ રહેલી છે અને માઁ મોગલ હાજરાહજુર છે, માતાજીના ધામમાં કોઈ દિવસ કોઈ ખોટ કે ખામ નથી આવી અને મને વિશ્વાસ છે કે માતાજી કોઈ દિવસ કઈ ઘટવા નહીં દે.

વધુમાં મણીધર બાપુએ કહ્યું કે માતાજીની સેવા 100થી પણ વધારે સ્વયંસેવકો કરે છે અને જે દિવસ હું પૈસા લઈશ તે દિવસ મારૂ મૃત્યુ થવાનું છે હા એ નક્કી છે કારણ કે માતાજી ભાવના ભૂખ્યા છે, પૈસાની તેમને કોઈ જ જરૂર નથી. માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુને માતાજી માટે એટલી શ્રદ્ધા છે કે તેઓ કોઈ દિવસ કોઈ પાસેથી એક રૂપિયા લેતા નથી પરંતુ સામે તેઓ ભક્તોને એક રૂપિયો ઉમેરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *