જિંદગીથી કંટાળી ગયેલા યુવકે મોગલ માઁ ની માનતા માની, ગણતરીના દિવસોમાં જ માતાએ કર્યો એવો ચમત્કાર…

જિંદગીથી કંટાળી ગયેલા યુવકે મોગલ માઁ ની માનતા માની, ગણતરીના દિવસોમાં જ માતાએ કર્યો એવો ચમત્કાર…

માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે.

તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં રાજકોટના અમિત ભાઈ પંડ્યાને ઘણા વર્ષો થી પારિવારિક સમસ્યા હતી. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તેમની સમસ્યાનું કોઈ નિવારણ નીકળ્યું નહિ. ત્યારે તેમણે માં મોગલની માનતા રાખી હતી.

માં મોગલની માનતા માની યુવકે કહ્યું હતું કે, જો તેની પારિવારિક સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે તો તેઓ મોગલ ધામ પોતાની માનતા પૂરી કરવા જશે. ત્યારે માનતા રાખ્યાના થોડા જ સમયમાં અમિતભાઈનું કામ માં મોગલે પાર પાડી દીધું હતું. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલને ધામ આવ્યાં હતાં.

ત્યારે અમિતભાઈ પંડ્યા મોગલ ધામમાં જઈને મણીધર બાપુના ચરણોમાં 5100 રૂપિયા અર્પણ કર્યા હતાં. આ દરમિયાન મણીધર બાપુએ 5100 રૂપિયામાં પોતાનો એક રૂપિયો ઉમેરી કહ્યું કે, આ પૈસા તમારી બહેનને આપી દે જો માં મોગલ ખુશ થશે. માં મોગલ ને કોઈ ભેટ સોગાત ની જરૂર નથી, તેતો ફક્ત ભાવના ભૂખ્યાં છે. આ તો આપનારી આઈ છે. તેમજ માં મોગલનો આ કોઈ ચમત્કાર ન માનતા તમે જે વિશ્વાસ રાખ્યો તેના લીધે તમારી મનોકામના પૂર્ણ થઈ છે.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *