ચાણક્ય નીતિ: આવા ગુણો ધરાવતી વ્યક્તિ પર રહે છે માતા લક્ષ્મીના હંમેશા આશીર્વાદ, ધન-ધાન્યમાં નથી રહેતી ખોટ
આચાર્ય ચાણક્યને ચાણક્ય નીતિમાં માનવ સમાજના કલ્યાણથી સંબંધિત ઘણી નીતિઓ જણાવી છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ તેમની નીતિઓને અપનાવે છે તેમના જીવનમાં ક્યારેક કોઈપણ પ્રકારની સમસ્યા સામનો નથી કરવો પડતો. તેમની નીતિઓ આજના સમયમાં પણ ખૂબ સુસંગિત છે. આચાર્ય ચાણક્યએ સફળતા સંબંધિત અનેક જરૂરી વાત જણાવી છે, તેમણે પોતાની નીતિના એક શ્લોકમાં જણાવ્યું છે કે કઈ વસ્તુની આદત વ્યક્તિને ધનવાન બનાવે છે.
સમયની કિંમત
સમય કોઈના પણ માટે અટકતો નથી આ માટે સમય સાથે ચાલવું અત્યંત જરૂરી હોય છે. ચાણક્ય નીતિ અનુસાર, જે લોકો સમયની કિંમત નથી જાણતા, તેમને જીવનમાં અનેક પડકારનો સમાનો કરવો પડે છે. યોગ્ય વ્યક્તિ સમયનો સદ્દઉપયોગ કરીને પોતાના તમામ કામ સમયસર પૂરા કરી કરી લે છે. સમયની કિંમતને સમજવાળા પર માતા લક્ષ્મીના હંમેશા આશીર્વાદ હોય છે.
સ્વભાવ
કહેવાય છે કે મનુષ્યને તેમનો સ્વભાવ જ અમીર બનાવી શકે છે. આ માટે વ્યક્તિએ પોતાના સ્વભાવમાં વિનમ્રતા રાખવી જોઈએ. જે વ્યક્તિ વિનમ્ર સ્વભાવના હોય છે તેમને દરેક સ્થળે માન-સન્માન મળતા હોય છે. વિનમ્રતા વ્યક્તિની અંદરનો શ્રેષ્ઠ ગુણ માનવામાં આવે છે.
સકારાત્મકતા
ચાણક્ય અનુસાર, જીવનમાં સફળત મેળવવા માટે સકારાત્મક હોવું ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ દરેક સમય નકારાત્મકથી ઘરાયેલી રહે છે, તેમનું જીવન ક્યારેય ખુશાલ, સુખી નથી રહેતું. આ માટે વ્યક્તિએ સકારાત્મક વિચારોને અપનાવવા જોઈએ. જે માણસના વિચાર હકારાત્મક હોય છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે.
સાફ-સફાઈ
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જે લોકો સ્વચ્છ હોય છે તેમના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. દિવાળીના સમય પણ ધનના દેવી માતા લક્ષ્મીની પૂજા કરતા પહેલા ઘરની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે છે જેથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે.
ધનનો સંચય
આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ ધનને સાચવીને નથી રાખતા અને કાર્યોમાં પૈસા ખર્ચ કરે છે, ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે. જો ઘર પરિવારમાં સુખ-સમૃદ્ધિનું વાસ જોઈએ તો ધન-ધાન્યનું સાચવણીનું ધ્યાન અવશ્ય આપવું જોઈએ અને નકામાં પૈસા ખર્ચ કરવાથી બચવું જોઈએ.