ભક્તને દારૂનું ખૂબ વ્યસન હતું પણ મુકાતુ નહતું પછી તેણે મોગલ માની માનતા કરતા જ…
આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે.
માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે. બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.
મા મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માતાજી ભક્તોના તમામ દુઃખો દૂર કરે છે. અત્યાર સુધીમાં મા મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.
અમદાવાદથી કચ્છ કબરાઉ મોગલ ધામ પધારેલા ભક્તનું નામ જયદિપભાઈ છે, તેમની માનતા મુજબ, મને દારૂનું ખૂબ વ્યસન હતું પછી જે મુકાતુ ન હતું મે મોગલ માઁ ને માનતી કે જો મારૂ આ વ્યસન છુટી જશે તો હું મોગલ ધામ આવીને માનતા પૂરી કરીશ પછી ભક્તની અરજ માતાજી સાંભળીને ભક્તનું વ્યસન જ મુકાય જતા ભક્ત માતાજીના ધામે માનતા પૂરી કરવા માટે ગયો હતો.
ત્યાર બાદ માનતા પૂરી કરવા માટે ભક્તે મણીધર બાપુના ચરણમાં 51 હજાર રૂપિયા અર્પણ કર્યા હતાં. ત્યારે મણીધર બાપુએ કીધું કે આ તમારી બેન-દીકરીને આપી દેજો માતાજીને આ પૈસાની કોઈ જરૂર નથી. મા તો ભાવના ભૂખ્યા છે, તેમને પૈસાની કોઈ જરૂર નથી. જય મોગલ માઁ