લૂમાં આટલી કાળજી ચોક્કસ રાખવી, જો ધ્યાન નહીં રાખો તો જીવન મુકાય જશે જોખમમાં

લૂમાં આટલી કાળજી ચોક્કસ રાખવી, જો ધ્યાન નહીં રાખો તો જીવન મુકાય જશે જોખમમાં

રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે.
હીટવેવમાં શું કરવુ જોઇએ

હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. આખુ શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા જોઇએ. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઇએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ જોઇએ. અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું જોઇએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઇએ. શક્ય હોય તો લીંબુ-શરબત પીવું જોઇએ. ગરમીમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું જોઇએ.

હીટવેવમાં આટલું કરવું નહીં

લીંબુ-શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો તેમજ વાસી ખોરાક, બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગમાં દૂધ-માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઇએ. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઇએ. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.

ખેડૂતોને શું કાળજી રાખવી?

ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવુ જોઇએ. અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું જોઇએ. મરઘા ઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ. આટલા ઉપાયો કરવાથી લૂથી બચી શકાશે.

ખાસ નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી સલાહ નિષ્ણાતો દ્વારા આધારિત છે. આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરો. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે news7gujarat.in/જવાબદાર રહેશે નહીં.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *