બે ભાઈઓના મોતની ઘટનામાં મોટો ખુલાસો, જાણો કોણે કરેલી માસુમ બાળકોની હત્યા

બે ભાઈઓના મોતની ઘટનામાં મોટો ખુલાસો, જાણો કોણે કરેલી માસુમ બાળકોની હત્યા

રાજકોટના ગોંડલમાં બે ભાઈઓની મોતની ઘટના અંગે ફોરેન્સિક રિપોર્ટ બાદ મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ રીતે મોત થયા હતા. જો કે આ બાળકોના પિતા પ્રેમજીભાઈ મકવાણાએ આરોપ લગાવ્યો હતો કે દરગાહમાં બાળકોએ ભોજન લીધા બાદ તેમને ઝેરની અસર થઇ અને મૃત્યુ પામ્યાં, જો કે બાળકોના મૃતદેહની ફોરેન્સિક તપાસના રિપોર્ટમાં એક અલગ જ અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

ફોરેન્સિક તપાસના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ બંને માસુમ ભાઈઓ 3 વર્ષના રોહિત અને 13 હરેશને ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. આ માસુમ બાળકોની તેના પિતા પ્રેમજી મકવાણાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે સગા બાપે પોતાના બે-બે દીકરાઓને શા માટે મારી નાખ્યાં?

બાળકોનો હત્યારો પ્રેમજી મકવાણા

આ સવાલનો જવાબ પ્રેમજીની પૂર્વ પત્નીએ પોલીસને આપેલા નિવેદનથી મળ્યો છે. પ્રેમજીએ તેની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. પ્રેમજીની પૂર્વ પત્નીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમના લગ્નજીવન દરમિયાન પ્રેમજી તેના ચારિત્ર્ય અંગે શંકા કરતો હતો. પત્નીએ કહ્યું હતું કે પ્રેમજી એવી પણ શંકા કરી હતી કે આ બંને બાળકો રોહિત અને હરેશ તેના બાળકો નથી.

પોલીસે બે બાળકોના હત્યારા પ્રેમજી મકવાણા સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *