ભક્તનું મુશ્કેલમાં મુશ્કેલ ભર્યુ કામ માઁ મોગલ પાર પાડી દીધુ તો માનતા પૂરી કરવા માટે 30 હજારથી પણ વધારે રૂપિયા અર્પણ કર્યા તો એવું થયું કે
કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્ત આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. #ભક્ત
માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
થાનગઢથી પધારેલા ભક્તનું નામ નૈતિક શાહ છે, તેમની માનતા મુજબ, મંગળવારે માતાજી પાસે કામ માટે અરજ કરી હતી અને શનિવારની સાંજે તેમનુ ધારેલું કામ થઈ ગયું હતું.
ઘટના કંઈક એમ છે કે તેમને ચારથી પાંચ જગ્યાએ પૈસા આપવાના હતાં અને ઘણી જગ્યાએ પૈસા આપવામાં બાકી હતાં તો આપવામાં કઈ વિઘ્ન આવી રહ્યું હતું પછી મે માતાજીને અરજ કરી હતી કે તેમનું કામ પૂર્ણ થઈ જશે તો તેઓ માનતા પૂર્ણ કરવા માટે આવશે ત્યારે માતાજીએ શીઘ્ર તેમની અરજ સાંભળીને માતાજીએ તેમનું ધારેલું કામ કરી દીધું છે.
ત્યારબાદ ભક્તે માનતા પૂર્ણ કરવા માટે મણીધર બાપુના ચરણોમાં 31,131 રૂપિયા અર્પણ કર્યા હતાં તો મણીધર બાપુએ કહ્યું કે આ તમે તમારી બહેનને આપી દેજો અને માઁ મોગલે તમારી માનતા સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ