આ દયાળુ દાદાજી પાસે ન ઘર છે, ન કામછતાં 20 વર્ષોથી ભરી રહ્યાં છે મુંગા પ્રાણીઓનું પેટ
શેરીમાં રખડતા કૂતરાનું જીવન એઠું ભોજન પર ટકેલું હોય છે. લોકડાઉનના કારણ તો લોકો પૂરતુ જ ભોજન બનાવતા હોય છે. ત્યારે ઘણાં ખરા માનવી જે આ મુંગા અને અબોલોની વ્હારે આવે છે. આવા જ એક દાદાજી છે તેની ઉંમર 70 વર્ષ છે. તે પોતાના વિસ્તારના રખડા કૂરતા માટે કોઈ મસીહાથી કમ નથી. કારણ કે તે છેલ્લા 20 વર્ષથી પોતાની કમાણીથી આ મુંગા કૂતરાનું પેટ ભરતા આવી રહ્યાં છે.
શ્વાન કરે છે દાદાજીને અતૂટ પ્રેમ !
રિપોર્ટ પ્રમાણે, 70 વર્ષીય મનિયન પિલ્લઈ કેરલના Kazhakoottam વિસ્તાના નિવાસી છે. ત્યાંના શ્વાન તેમને એટલો બધો પ્રેમ કરે છે કે પિલ્લઈ દાદાજીને જોતા જ દોડીને તેની પાસે આવવા લાગે છે. વાસ્વતમાં તે લગભગ બે દાયકાથી અબોલાને ભોજન પૂરૂ પાડે છે.
ધરતી ફક્ત માણસ માટે નથી
તેઓ કહે છે, મને શરૂઆતથી જ પ્રાણીઓ સાથે પ્રેમ રહ્યો છે. જ્યારે પણ હું કોઈ ભૂખ્યા શ્વાનને જોઉ છું તેને ખવડાવું છું. મારૂ માનવું છે કે ધરતી ફક્ત માણસની જ નથી પરંતુ પ્રાણીઓની પણ છે. માનવીએ તેની સાથે રહેતા શીખવું જોઈએ. હું હંમેશા પોતાનું પેટ ભરતા પહેલા આ મુંગાનું પેટ ભરવાની કોશિશ કરૂ છું.
ન ઘર છે ન નોકરી
આ દાદાજીનું દિલ એટલું મોટું છે તેનો અંદાજો તમે આમનાથી લગાવી શકો છો કે પિલ્લઈ દાદાજી પાસે ન જ પોતાનું ઘર છે ન જ તો કોઈ નોકરી છે. તેમ છતાં તે અબોલાને ભોજન આપવાનું નથી ભુલતા. તે તેને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે. તેઓ જણાવે છે કે તેણે 10 વર્ષો સુધી ભારતીય સેનામાં કામ કર્યું, છતાં સ્વયંની નોકરી છોડી દીધી. તેમને પેન્શન પણ નથી મળતું, ગત લોકડાઉનમાં તેમની નોકરી જતી રહી હતી.
રહે છે એક મિત્રની દુકાનમાં
હાલમાં પિલ્લઈ દાદાજી પોતાના મિત્રની દુકાનમાં રહે છે. તે જણાવે છે, મારો આખો દિવસ તેની આસપાસ જ પસાર થઈ જાય છે. આ બિનસહારા કૂતરાને ભોજન ખવડાવીને મને ખૂબ ખુશી મળે છે. ક્યારેક ક્યારેક તો તેના પર હજારો રૂપિયા સુધી ખર્ચ કરી દઉ છું. જોકે અમુક લોકો મને આવું કરવાથી રોકે છે, ખીજાય છે, અને શ્વાન પાછળ ડંડા લઈને દોડે છે. તેણે પોતાની આ રહેણીકરણી બદલવી જોઈએ.