ખાલી 1 ટમેટું જ દૂર કરી નાખશે જિંદગીભર ના રોગો, આટલા રોગો માટે 100 ટકા અસરકારક
પોષણનું પાવર હાઉસ કહેવામાં આવતા ટમેટાના ઘણાં સ્વાસ્થ્ય લાભો હોય છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-કે સારી માત્રામાં હોય છે. આ સિવાય પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર અને નિયાસિન જેવા પોષક તત્વો પણ ટામેટામાં જોવા મળે છે અને તે બધાં સારા સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી હોય છે. ટામેટાની સૌથી સારી વાત એ છે કે તેમાં સોડિયમ, કોલેસ્ટ્રોલ અને કેલરીનું પ્રમાણ ઘણું ઓછું છે. ટોમેટોનો ઉપયોગ ઘણી રીતે થાય છે. કેટલાક લોકો તેને શાકભાજીમાં ઉમેરીને ખાય છે અને કેટલાક સલાડના રૂપમાં ખાઈ છે. તે જ સમયે, કેટલાક લોકો ટમેટાનો રસ અને સૂપ પીવાનું પણ પસંદ કરે છે. તમે જે પણ રીતે તેનો ઉપયોગ કરો છો, તમને તેના પોષક ગુણ અવશ્ય મળશે. ચાલો જાણીએ ટામેટાં ખાવાના ફાયદાઓ વિશે…ટમેટું,
-ટામેટાંનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે. આ સાથે તે રક્ત પરિભ્રમણ વધારવામાં, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં, અકાળે વૃદ્ધત્વ અટકાવવા અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય હાડકાં માટે પણ ટમેટાને સારો આહાર માનવામાં આવે છે.
-ટામેટામાં રહેલા ગુણધર્મો ડાયાબિટીસ, ત્વચાની સમસ્યાઓ અને પેશાબની નળીઓના ચેપથી પણ રાહત આપે છે. તેમાં લાઇકોપીન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે સૂર્યના હાનિકારક કિરણોને કારણે થતા નુકસાનથી ત્વચાને સુરક્ષિત કરે છે.
-ટામેટા વિટામિન્સ અને ખનીજોનો સારો સ્રોત હોય છે, એટલા માટે તે હૃદયને લગતા રોગો સામે પણ રક્ષણ આપે છે. તેનું નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનું વધું પડતું સેવન હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે માત્ર યોગ્ય માત્રામાં તેનું સેવન કરો.
-ટામેટાને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ખોરાક તરીકે પણ ગણવામાં આવે છે. તેમાં લાઇકોપીન અને બીટા કેરોટિન જેવા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને સુધારવા અને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે વિટામિન-સીથી પણ ભરપૂર હોય છે.
ટામેટા ખાવાનો યોગ્ય સમય કયો છે?
ટામેટા ખાવા માટેનો શ્રેષ્ઠ સમય રાત્રે માનવામાં આવે છે, કારણ કે તે શરીરના મેટાબોલિઝમને જાળવી રાખે છે, જે સારા સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે. જો દરરોજ રાત્રે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે લાંબા સમય સુધી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે.