મુસ્લિમ પરિવારના જીવનમાં ખૂબ જ તકલીફ પડતી હતી પછી તેમણે માઁ મોગલની માનતા રાખી તો એવો ચમત્કાર થયો કે…
માઁ મોગલ નિ:સંતાન દંપતીના ઘરે પારણાં બધાવે છે, તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે. જગતજનની માઁ મોગલના પરચા અપરંપાર છે, માતાજી ભક્તોને કોઈ દિવસ દુખી જોઈ શકતા નથી. અને સમસ્યાઓ પણ દૂર કરે છે, તે કોઈના ઘરે અન્ન ખુંટવા દેતી નથી. ત્યારે માં મોગલ બધાનું સારું જ કરે છે. અને બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે. આવું કાર્ય તો માં મોગલ સિવાય કોઈ ના કરી શકે, ત્યારે ગમે તેવી પરિસ્થિતી હોય કે સમસ્યાઓ હોય તે માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે.
સાચા દિલથી કરેલી માનતાઓ અને મનોકામનાઓ માં મોગલ હંમેશા પોતાના ભક્તોની પૂરી કરે છે. માઁ મોગલે ઘણીવાર પોતાના અલગ-અલગ પરચા આપ્યા છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા છે. તેમને ખુશી આપતા હોય છે અને માં મોગલ અત્યાર સુધીમાં લાખો લોકો ના દુઃખને દૂર કર્યા છે અને મા મોગલને તમે યાદ કરો તો તમારું કામ પણ ચોક્કસપણે પૂર્ણ થઈ જાય છે. મહત્વની વાત એ છે કે મા મોગલને લાખો કરોડો રૂપિયા ચડાવવાની જરૂર નથી પરંતુ માં મોગલ તો પોતાના ભક્તોના ભાવના ભૂખ્યા છે, સાચા દિલથી માનેલી મનોકામના માં મોગલ હંમેશા ભક્તોની પૂર્ણ કરે છે. વધુ એક મા મોગલનો પરચો આપણી સામે આવ્યો છે. ત્યારે આજે આપણે એક મુસ્લિમ પરિવાર રાખેલી માનતા સંપૂર્ણ શ્રધ્ધા વિશે જાણીશું
મુસ્લિમ પરિવાર કચ્છના કબરાઉ ધામ આવેલા માઁ મોગલના ચરણે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. ત્યારે માઁ મોગલની ગાદી સંભાળતા મણીધર બાપુએ કહ્યું હતું ભારત એક એવો દેશ છે જે ભાઈચારા સાથે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ એક સાથે હળીમળી રહે છે. માઁ મોગલમાં ધામમાં ચરણે આવેલા આ પરિવાર પોતાની માનતા પૂરી થઈ તો માતાજીને ચરણે આવ્યાં હતાં.
વાત એમ છે કે આ પરિવારના જીવનમાં બહુ જ તકલીફ હતીં પછી તેમણે માઁ મોગલને માનતા માની હતીં તો તેમની માનતા પૂરી થઈ પછી સંપૂર્ણ પરિવાર માઁ મોગલ ધામ આવ્યો હતો અને તેમની મનોકામના પૂર્ણ કરતા મણીધર બાપુના ચરણે પૈસા ધર્યા હતાં ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માઁને પૈસાની કોઈ જરૂર નથી માઁ તો ભક્તોના ભાવના ભખ્યા છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી પર રાખેલા અતૂટ વિશ્વાસનું ફળ તમને મળ્યું છે.
ત્યારબાદ મણીધર બાપુ આ મુસ્લિમ પરિવારને જણાવ્યું કે પહેલા તમારે ધર્મ તરફ આગળ વધવું જોઈએ પહેલા કુરાણ આવશે પછી માઁ મોગલ આવશે. માઁ તો માઁ જ હોય છે માઁ મોગલ ધર્મ-જ્ઞાતિ નથી જોતા તો સનાતન ધર્મ લોકોની માનતા સ્વીકારે છે માઁ મોગલ તેમના ભક્તને કોઈ દિવસ દુખી નથી કરતા.