લગ્નના 20 વર્ષ બાદ દંપતીના ઘરે પારણા બંધાતા કિલકારી ગુંજી ઉઠી, દંપતી મોગલ ધામ માનતા પૂરી કરવા માટે ગયા તો એવું થયું કે…
કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. #મોગલ
માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
કચ્છ કબરાઉ ધામ પધારેલા મહિલા ભક્તનું નામ કૈલાશીબા છે, તેઓ માતાજીના ધામે નાની તૂબળીથી આવ્યા છે. તેમની માનતા મુજબ, લગ્નના 20 વર્ષ બાદ પણ તેમના ઘરે કોઈ સંતાન ન હતું તો પછી દંપતીએ માઁ મોગલને ખરા હૃદયથી માનતા માની કે તેમના ઘરે પારણાં બંધાશે તો તેઓ માતાજીના ચરણે આવીને માનતા પૂરી કરશે અને માતાજીએ તેમની માનતા શીઘ્ર પૂરી કરી હતી. ત્યારબાદ દંપતી માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવ્યા હતાં.
ત્યારે દંપતીએ મણીધર બાપુના ખોળામાં દીકરાને આપ્યો અને તેમના આશીર્વાદ મેળવ્યા હતાં અને મણીધર બાપુએ કહ્યું કે માતાજી પર વિશ્વાસ હતું તેમનું ફળ આ મળ્યું છે અને માતાજીએ તમારા ઘરે 20 વર્ષ બાદ પારણા બંધાવ્યા તે અનેરી ખુશીની વાત છે, જય મોગલ માઁ