પત્નીનો હાથ મટતો જ ન હતો અનેક દવાખાના ફર્યા તો પણ નિવારણ જ આવ્યું નહી પછી દુખના ડુગરની નીચે દટાડેલા ભક્તે મોગલ માઁને ખરા હૃદયથી માનતા માની પછી…
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.#પત્ની
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
હળવદના સુંદરગઢથી પોતાની માનતા પૂર્ણ કરવા આવેલા મોગલ માઁના ભક્તનું નામ સંજયભાઈ છે, તેોમની માનતા મુજબ, ધર્મ પત્નીનો હાથ ઘણાં સમયથી મટતો જ ન હતો, ઘણી બધી દવા કરી છતાં કઈ ફેર ના પડતા સંજયભાઈએ માઁ મોગલને માનતા કરી કે તેમના પત્ની નિરોગી થઈ અને સાજા થઈ જશે તેઓ મોગલ ધામ પોતાની માનતા પૂરી કરવા આવશે તો તેમની મનોકામના પૂર્ણ થતા જ તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા પહોચ્યાં હતાં.
ત્યારબાદ મણીધર બાપુએ સંજયભાઈને કહ્યું કે તમારી પત્ની સાજી થઈ છે તે માઁ મોગલ પર રાખેલા વિશ્વાસને કારણે થયું છે આ કોઈ અંધશ્રદ્ધા નથી માઁ પર રાખેલી શ્રદ્ધાનું ફળ છે. પછી મોગલ માઁ ભક્તે પોતાની માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા મણીધર બાપુના ચરણોમાં ધર્યા હતાં તો મણીધર બાપુએ કહ્યું કે માઁ મોગલે તમારી એકવાન ગણી માનતા સ્વીકારી છે.