મહિલાના પતિને ગેસની ગંભીર તકલીફ હતી તો વારંવાર પરેશાન રહેતા પતિ માટે મહિલાએ માઁ મોગલની માનતા રાખી તો માઁએ એવો પરચો આપ્યો કે….
માઁ મોગલ પૃથ્વી પર વસતા તમામ ગુજરાતના અઢારે વરણની રક્ષા કરે છે. તેમના પરચ અપરંપાર છે. જગતજનની માઁ મોગલ તેમના ભક્તને કોઈ દિવસ દુખી જોઈ શકતા નથી અને તેમના ભક્તની રક્ષા કરવા શીઘ્ર આવે છે. માઁ મોગલના ગુજરાતમાં ઘણાં આવેલા છે, અહીયા બિરાજમાન મોગલ પોતાના પરચા પૂરતા રહે છે. કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલ ચરણે રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભક્તો તમારા સાનીધ્યમાં પહોચીને તેમના દ્વારા રાખવામાં આવેલી માનતા પૂરી કરતા હોય છે. કહેવાય છે કે માઁ મોગલને જો સાચા હૃદયથી યાદ કરવામાં આવે છે તો માઁ મોગલ અવશ્ય તેમના ભક્તનો પોકાર સાંભળે છે.
માં મોગલના પરચા અપરંપાર છે. તમામ ભક્તોની મનોકામનાઓ પણ દર્શન માત્રથી પૂર્ણ થાય છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે માં મોગલનો મહિમા પણ અપરંપાર છે. જ્યારે પણ ભક્તોની તેમના જીવનમાં દુખ આવે છે. ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરે છે. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે અદભુત મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે તે તો અઢારે વરણની માતા કહેવાય છે. કહેવાય છે કે માં મોગલના દ્વારે જેટલા પણ ભક્તો આવે છે તે બધા જ ભક્તો હસતા મોઢે ઘરે પરત ફરે છે. એવામાં ઘણા લોકોને માં મોગલના પરચા પણ બતાવ્યા છે.
માઁના સાનીધ્યમાં ઘણાં ભક્તો રોજ મોગલ ધામ માનતા પૂરી કરવા દોડતા આવતા હોય છે. માતાજી પર તમામ ભક્તોની અરજ શીઘ્ર સ્વીકારે છે. તેમના જીવનમાં આનંદ લાવી દે છે અને ખુશીઓ ખુશી જ વરસાવી દેઈ છે. ત્યારે આજે વાત કરીશુ એક એવા મહિલા ભક્તની જેમણે પોતાના પતિની બીમારી દૂર થશે તો કબરાઉમાં બિરાજમાન માઁ મોગલની માનતા પૂરી કરવા આવશે, ત્યારે તેમની ફળ સ્વરૂપે માનતા સાંભળીને તેમના પતિની બધી બીમારી દૂર કરીને સાજો કરી દીધો હતો, જે બાદ આ મહિલા ભક્ત માઁ મોગલ ધામ તેમની માનતા પૂરી કરવા આવ્યાં હતાં.
પાલીતાણા નજીક આવેલા ખાખરીયા ગામથી એક મહિલા ભક્ત છેક કચ્છ કબરાઉમાં માઁ મોગલના ધામ પધાર્યાં હતાં. માતાજીના સાનીધ્યમાં માઁની ગાદી સંભાળતા મણીધર બાપુને મહિલા ભક્તે કહ્યું કે તે પોતાની માનતા પૂરી કરવા આવ્યાં છે. ત્યારે મણીધર બાપુએ તેમને પ્રશ્ન કર્યો હતો કે તમે કોના માટે માનતા રાખી છે? તો મહિલાએ મણીધર બાપુને ઉત્તર આપતા કહ્યું કે તેમના પતિનું ગેસની તકલીફ હતી તો તેમણે માઁ મોગલના પરચાના વિડીયો જોયા હતાં તો તેમણે પોતાના પતિ માટે માનતા રાખી હતી, જે બાદ તેમના પતિને ગેસ બીમારી કાયમ માટે મટી ગઈ હતીં તો તે મહિલા ભક્તો માઁના ધામે દોડતી આવી હતી. તેમણે માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા મણીધર બાપુના ચરણમાં ધર્યાં હતાં. મહિલા ભક્તની પુત્રીને બાપુએ પૈસા પાછા આપ્યાં હતાં અને માઁએ તારી માનતી સ્વીકારી લીધી હતી તેમ બાપુએ જણાવ્યું હતું.