આ 5 વસ્તુઓ એક જ ઝટકામાં વ્યક્તિને મોતના મુખમાં પહોચાડી શકે છે, જાણો શું કહે છે ચાણક્ય નીતિ
મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ એક નીતિની રચના કરી છે જેમાં તેમણે સામાજિક કલ્યાણ સંબંધિત ઘણા વિષયો પર વિગતવાર ચર્ચા કરી છે. આચાર્ય ચાણક્યજી તેમની રણનીતિ માટે ખૂબ જ લોકપ્રિય હતા. ચાણક્યજીએ તેમની નીતિઓના આધારે નંદ વંશનો નાશ કર્યો અને એક સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્યને મગધનો સમ્રાટ બનાવ્યો હતો. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં એવી 5 બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે કોઈપણ વ્યક્તિને ક્ષણભરમાં મૃત્યુના મુખમાં લઈ જઈ શકે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ, મિત્ર, પત્ની અથવા રાજ્ય ગુમાવે છે, તો તે તેમને ફરીથી મેળવી શકે છે. પરંતુ અગ્નિ, પાણી, મૂર્ખ વ્યક્તિ, સાપ અને રાજપરિવાર, આ પાંચ વસ્તુઓ છે, જે કોઈપણ વ્યક્તિને એક જ ઝાટકમાં મૃત્યુ સુધી પહોંચાડી શકે છે.
અગ્નિ
આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ ક્યારેય અગ્નિ સાથે રમવું જોઈએ નહીં, કારણ કે તે તેના જીવનને નુકસાન પહોંચાડી શકે છે. આગ એક ક્ષણમાં કોઈપણ વસ્તુને બાળીને રાખ કરી શકે છે. તેથી માણસે હંમેશા અગ્નિથી સાવધાન રહેવું જોઈએ.
મૂર્ખ વ્યક્તિ
કૌટિલ્યના નામથી પ્રસિદ્ધ આચાર્ય ચાણક્યનું માનવું છે કે પૃથ્વી પરની ત્રણ વસ્તુઓ, અન્ન, પાણી અને મધુર શબ્દો એ જ વાસ્તવિક રત્નો છે. પરંતુ મૂર્ખ લોકો પથ્થરના ટુકડાને રત્ન માને છે. એટલા માટે લોકો રત્નો અને સંપત્તિના લોભી બની જાય છે અને આ લોભ તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. ચાણક્ય અનુસાર, વ્યક્તિના કાર્યો હંમેશા તેમની પાછળ ચાલે છે. તેથી જ માણસે મૂર્ખ વ્યક્તિથી ખૂબ કાળજી રાખવી જોઈએ.
પાણી
આમ તો જળ વિના જીવન નથી. માનવીની સાથે સાથે દરેક જીવને જીવવા માટે પાણીની જરૂર હોય છે. પરંતુ ક્યારેક આ પાણી તેમના માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. જો તમને તરવું ન આવડતું હોય અને તમે નદીમાં પડો તો તમે ક્ષણભરમાં મરી શકો છો.
સાપ
ચાણક્ય અનુસાર સાપ કોઈપણ સમયે મનુષ્ય પર હુમલો કરી શકે છે. એટલા માટે લોકોએ સાપથી સાવચેત રહેવાની જરૂર છે.
રાજવી પરિવાર
આચાર્ય ચાણક્યજીનું માનવું છે કે રાજવી પરિવાર સાથે ક્યારેય દુશ્મનાવટ ન કરવી, કારણ કે તેઓ એક ક્ષણમાં તમારું બધું જ ખતમ કરી શકે છે.